ભગવાન શ્રીરામના પૂર્વજોના નામ

આપણે અત્યાર સુધી મુઘલોનો ઇતિહાસ ભણતા આવ્યા છીએ. અકબર, હુમાયું, અને બાબરના બાપ દાદાઓના નામ આપણે જાણીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રીરામના દાદા-પરદાદાનું નામ શું હતું? જો નહિ, વિચાર્યું હોય તો જાણો. દરેક હિન્દુ સનાતનીઓને આનું જ્ઞાન હોવું જ જોઈએ. અને હવે તો એન.સી.ઈ.આર.ટી. ના પાઠ્ય પુસ્તકોમાથી પણ મુઘલોનો ઇતિહાસ હટાવીને હિન્દુ રાજા રજવાડાઓનો ઇતિહાસ અને મહાકુંભના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો દરેક હિન્દુઓને આના વિષે જ્ઞાન હોવું જ જોઈએ.

1 – બ્રહ્માજીમાંથી મરીચિ થયા,

2 – મરીચિના પુત્ર કશ્યપ થયા,

3 – કશ્યપના પુત્ર વિવસ્વાન હતા,

4 – વિવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ થયા. વૈવસ્વત મનુના સમય દરમિયાન મહાપ્રલય થયો હતો,

5 – વૈવસ્વત મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું. ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના કરી,

6 – ઇક્ષ્વાકુના પુત્ર કુક્ષિ થયા,

7 – કુક્ષિના પુત્ર વિકુક્ષિ થયા,

8 – વિકુક્ષિના પુત્ર બાણ થયા,

9 – બાણના પુત્ર અનરણ્ય થયા,

10 – અનરણ્યમાંથી પૃથુ થયા,

11 – પૃથુમાંથી ત્રિશંકુનો જન્મ થયો,

12 – ત્રિશંકુના પુત્ર ધુંધુમાર થયા,

13 – ધુંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ હતું,

14 – યુવનાશ્વના પુત્ર માન્ધાતા થયા,

15 – માન્ધાતાથી સુસંધિનો જન્મ થયો,

16 – સુસંધિના બે પુત્રો થયા – ધ્રુવસંધિ અને પ્રસેનજિત,

17 – ધ્રુવસંધિના પુત્ર ભરત થયા,

18 – ભરતના પુત્ર અસિત થયા,

19 – અસિતના પુત્ર સગર થયા,

20 – સગરના પુત્રનું નામ અસમંજ હતું,

21 – અસમંજના પુત્ર અંશુમાન થયા,

22 – અંશુમાનના પુત્ર દિલીપ થયા,

23 – દિલીપના પુત્ર ભગીરથ થયા, જેમણે ગંગાને પૃથ્વી પર ઉતારેલી.

24 – ભગીરથના પુત્ર કકુત્સ્થ થયા,

25 – કકુત્સ્થના પુત્ર રઘુ થયા. રઘુના અત્યંત તેજસ્વી અને પરાક્રમી નરેશ થવાના કારણે તેમના પછી વંશનું નામ રઘુવંશ પડ્યું. તેથી શ્રીરામના કુળને રઘુકુલ પણ કહેવામાં આવે છે,

26 – રઘુના પુત્ર પ્રવૃદ્ધ થયા,

27 – પ્રવૃદ્ધના પુત્ર શંખણ થયા,

28 – શંખણના પુત્ર સુદર્શન થયા,

29 – સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણ હતું,

30 – અગ્નિવર્ણના પુત્ર શીઘ્રગ થયા,

31 – શીઘ્રગના પુત્ર મરુ થયા,

32 – મરુના પુત્ર પ્રશુશ્રુક થયા,

33 – પ્રશુશ્રુકના પુત્ર અંબરીષ થયા,

34 – અંબરીષના પુત્રનું નામ નહુષ હતું,

35 – નહુષના પુત્ર યયાતિ થયા,

36 – યયાતિના પુત્ર નાભાગ થયા,

37 – નાભાગના પુત્રનું નામ અજ હતું,

38 – અજના પુત્ર દશરથ થયા,

39 – દશરથના ચાર પુત્રો થયા – શ્રીરામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન.

આ રીતે બ્રહ્માજીથી શરૂ થયેલી ૩૯મી પેઢીમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો.

શેર કરો જેથી દરેક હિંદુને આ માહિતીની જાણ થાય.


You'll only receive email when they publish something new.

More from આર્ટિકલ લોન્જ - Vibes Gujarati
All posts